________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૫૭.
આ તમારી યાત્રાનો અંત નથી પ્રારંભ છે આ શાનિનો કાર નથી સુધાનો પડકાર છે હજુ તળેટીએ શભા છો શિખર થી આમંત્રણ આપે છે. સાધુ બન્યા પછી પણ કેવી અનાથતા છે એ જોઈએ.
અરિહંત ધર્મની પ્રાપ્તિ થયા પછી નિસત્વ મનુષ્ય પોતાના આચાર પાલનમાં શિથિલબને છે સ્વ-પરની રક્ષા કરવા સમર્થ બનતા નથી. એ જીવોની અશરણતા છે
પ્રવ્રજ્યા લીધા પછી જે સાધુપ્રમાદના કારણે મહાવ્રતોનું પાલન કરતો નથી, આત્માનું શાસન કરતો નથી, રસાસક્ત હોય છે, તે રાગદ્વેષનું ઉચ્છેદન કરી શકતો નથી આ એની અશરણતા અનાથતા છે. જે સાધુ પાંચ સમિતિનું પાલન નથી કરતો તે મોક્ષમાર્ગનું અનુસરણ નથી કરી શક્તો એ પણ એની અશરણતા છે. જે તપ અને નિયમોથી ભ્રષ્ટ થાય છે તે અશરણ છે કેમકે સંસારનું ભ્રમણ વધી જાય છે. જેનામાં સાધુતાનો ભાવ હોતો નથી, જે સાધુના આચારોના પાલનમાં શિથિલ હોય છે તે દ્રવ્યસાધુ કહેવાય છે. દ્રવ્યમુનિ અસાર હોય છે, નિર્ગુણી હોય છે, મુલ્યહીન હોય છે. આવા દ્રવ્યસાધુઓ ભોળા જીવોને ઠગે છે. તેઓ અશરણ બની સંસારમાં ભટકે છે. માત્ર ઉદરભરણ કાજે સાધુ બને છે તે અસંયમી હોવા છતાં સંયમી કહેવડાવે છે તે દીર્ઘકાળ પર્યત સંસારમાં ભમે છે. જે રીતે પીધેલ ઝેર, ખોટી રીતે પકડેલું હથિયાર, અવિધિથી કરેલ મંત્રસાધના મનુષ્યને મારે છે એજ રીતે ઈન્દ્રિયોની લંપટતા મુનિને દુર્ગતિમાં ધકેલી દે છે. જે દ્રવ્યમુનિ લક્ષણશાસ્ત્ર અને સ્વપ્નશાસ્ત્રનો પ્રયોગ કરે છે, અષ્ટાંગ
જ્યોતિષ નિમિત્ત તથા સંતાન-સ્ત્રી- દ્રવ્યાદિ માટે પ્રયોગ કરે જાદુમંત્ર, તંત્ર આદિનું સેવન કરે તે અશરણ અનાથ સમજવો. મિથ્યાત્વથી હણાયેલ અને અજ્ઞાન દશાથી તે દ્રવ્યમુનિ શીલહીન બની સદાય દુઃખી થઈને તત્વ વિપરિતતા પામીને ચારિત્રવિરાધના કરીને સતત નરક તિર્યંચગતિમાં જન્મ મરણ કરે છે. દુર્ગતિથી કોઈ