________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
પગલે દુઃખ આપત્તિ અને વિપત્તિનો ભોગ બન્યા છીએ. માટે જ..
કે..
“બજારમાં તડકો
ઘરમાં ભડકો
અંતે કડકો”
સંસારની અનેકવિધ મુશ્કેલીમાં માણસ ફસાયા કરે છે. ક્યાંય એને ચેન પડતું નથી. અને જીંદગી દુ:ખી હોય ત્યારે દિવસો વિતાવવા પડે છે.
થઈ
૬૯
કહેવાય
સ્ત્રી વરહા વેણ કાઢતી હોય, નેણ ચડેલા હોય
ત્યારે પુરૂષ નિહાકો નાખીને હૈયા વરાળ કાઢે કે
હે પ્રભુ, આના કરતાં તો વાંઢો રહ્યો હોત તો સારું હતું !
જીવન બરબાદ બની જાય છે. સંસારના ભોગ સુખોમાં જીવ ઉન્મત બની જાય છે. ૨સથી સંસાર ભલે ભોગવે પણ ભોગવટા પછી પરિણામ શું ? કેમકે
સંખ્યાતા-અસંખ્યાતા કે અનંતા જીવોની કબર ઉપર બેસ્યા વગર સંસારનું એક પણ સુખ ભોગવાતું નથી.. આવા પાપમય સંસારમાં આનંદ માનવાનો નથી...
लोग कहते हैं शादी है तेरी
में कहता हूं बरबादी है तेरी
लोग कहते हैं तुं दुल्हा बनेगा में कहता हूं तू जिन्दा मरेगा ।
આમ આપત્તિથી ભરપૂર સંસારમાં દુઃખથી જ નહિ સુખથી પણ કંટાળવાનું છે. કેમકે દુઃખમય સંસાર તો ગાય-ભેંસ-કૂતરા-બિલાડા-ગધેડા ને પણ ન ગમે. તમને ન ગમે એમાં કોઈ નવાઈ નથી. સુખમય સંસાર પણ ન ગમવો જોઈએ. સાચું કહો તમને શું ખટકે છે....
બોલો તો ખરા. સુખ ખટકે કે દુઃખ? સભા- દુઃખ જ ખટકે ને ?...
જુઓ સાંભળો... અગાઉ પણ તમન કહી ગયો છું કે, જેને માત્ર દુ:ખ જ ખટકે છે તે વાનર છે