________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
(૩) વિષય સુખોના સંયોગ-વિયોગનું દુઃખ
(૪) વૃદ્ધાવસ્થાનું દુઃખ
(૫) મરણનું... દુઃખ
આ જીવ સૌથી પહેલા માતાના ગર્ભમાં આવ્યો ત્યારે જાણે અંધારી કોટડીમાં પુરાઈ ગયો. ત્યાં કોઈ એના દુઃખોને સાંભળનાર હતું નહિ. વળી માથું નીચું અને પગ ઊંચા કરીને નવ મહિના લટકવાનું હતું. વળી મળ-મૂત્રનું એ સ્થાન હતું ત્યાં ભયંકર દુઃખનો ભોગવટો કર્યા પછી ભયંકર વેદના વડે જન્મ થયો. જન્મનું દુઃખ ભયંકર હોય છે.
૭૧
સાડાત્રણ કરોડ લોખંડના સળીયા ગરમ કરી કોમળ શરીરવાળા ૧૬ વર્ષીય રાજકુમારના શરીરની સાડાત્રણ કરોડ રોમરાજીમાં કોઈ એકી સાથે ભોકે તો તેને જે દુઃખ થાય છે તેના કરતાં આઠગણું દુઃખ જીવને જન્મ વેળાએ હોય છે.
(અને જન્મ કરતા અનંતીવેદના મરણ સમયે હોય છે)
આવા દુઃખ પૂર્વક અને વેદના વડે કણસતો રડતા-રડતા જન્મ થયો. મળ મૂત્રમાં આંગળી જાય, તે આંગળી મુખમાં પણ નાંખી. આમ બાળપણમાં અશુચિ પદાર્થોમાં જીવન પસાર કર્યું. માતા-પિતાએ પરણાવ્યો ખૂબ હોંશથી સંસાર માંડયો અને સ્ત્રીનો નચાવ્યો હું નાચવા લાગ્યો. સ્ત્રી રૂપી નદીમાં ફસાઈ ને દુઃખી-દુ:ખી બની ગયો. માટે જ ભર્તૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે...
હે સંસાર, તારી વચ્ચે શરાબી આંખો વાળી સુંદરી ન હોત તો તને પાર પામવાનું સ્થાન દૂર નથી...
આ પ્રમાણે સ્ત્રીના વિષયમાં બરાબર ફસામણી થઈ ગઈ. અને એટલે સંસાર પણ વધતો ચાલ્યો. આ સ્ત્રી એટલે એક પ્રકારનું યંત્ર છે.. અવિનયના ધામ જેવું
સંશયોની ઘૂમરી જેવું,
સાહસોનું શહેર જેવું,
અવિશ્વાસનું ક્ષેત્ર જેવું
નરકપુરના દરવાજા જેવું તમામ પ્રાણીઓના ફાંસલા
દોષોનો ભંડાર જેવું સ્વર્ગના દ્વારની અળા જેવું માયાના કરાંડીયા જેવું અને જેવું તેમજ .
અમૃતથી વીંટળાયેલા ઝેર જેવું,