________________
૧
૭૯
શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧
પરમાલામી દેવો પણ જો તેની વેદના આપે છે.
અતિ તમ લોઢાની પૂતળીઓ સાથે જીવને આલિંગન અપાવે છે. - તપાવેલા સીસાનો રસ પીવડાવે છે. - ગરમ ગરમ તેલથી સ્નાન કરાવે છે. - ભડભડતી આગમાં નાખે છે. - ભાલાથી વધે છે. - ઘાણીમાં પીલે છે. - કરવતથી વેહરે છે. - ગરમ ગરમ રેતીમાં ચાલવાની ફરજ પાડે છે. - વાઘ-સિંહ જેવા રૂપો કરી ડરાવે છે. - કૂકડાની જેમ પરસ્પર લડાવે છે. - તલવારની ધાર જેવા અસિપત્ર વનમાં ચલાવે છે.
- હાથ-પગ-કાન-આંખ વિગેરે અંગ-ઉપાંગને કાપી નાખે છે. આમ અતિ દુઃખ આપે છે. છતાં તે જીવો આત્મહત્યા કરીને મારી શક્તા પણ નથી જ્યારે આયુષ્ય સમાપ્ત થાય ત્યારે જ મરે છે.
વળી તેમને ૫૦૦-૫૦૦ જોજન ઊંચા ઉછાળે છે. આવી રીતે નરકમાં પારવગરના દુઃખો છે. આપણો આત્મા ચારે ય ગતિમાં જઈ આવ્યો છે.
ભગવાન મહાવીરને ગૌતમસ્વામિએ પ્રશ્ન કર્યો કે હેમંતે, નરક કેટલી છે?જવાબ સાત.
પ્રશ્ન- મારો આત્મા નરકમાં કેટલીવાર જઈ આવ્યો છે?
હે ગૌતમ તારો જ નહિ મારો પણ આત્મા સાતેય નરકમાં અનંતીવાર જઈ આવ્યો છે. પ્રભુનો આ જવાબ હતો.
स्वजन तनयादि परिचय गुणै- रिह मुधा बध्यसे मुढ रे प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ॥२॥ धटयसि क्वचन मदमुन्नते : क्वचिदहो हीनता दीन रे। प्रतिभवं रूपमपरापरं वहसि बत कर्मणाधीन रे ॥३॥ जातु शैशव दशापरवशो जातु तारुण्य मदमत्त रे। जातु दुर्जय जरा जर्जरो जातु पितृपति करायत्त रे ॥४॥