________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ પણ મોતના મુખમાંથી કોઈ બચાવી શકતું નથી. માટે જ કહ્યું છે કે
મરણ ન ડે રે પ્રાણીસા કરતા કોટી ઉપાય સર નર વિધાધા રે સૌ એક માગ જય....
આટલી સંપન્નતા-સત્તા અને શક્તિ હોવા છતાં યમરાજા લઈ જાય તે છે જીવની અશરણતા. સંસારના કોઈ પદાર્થો બચાવી શકે તેમ નથી. માતાપિતા-પરિવાર બધાની સામેથી જીવને યમરાજા ઉપાડી જશે.
“માતાપિતાદિક ટગટગ જોતા ચમ લે જનને તાણી રે મરણ થકી સૂરપતિ નવિ છૂટે નવિ છૂટે ઈન્દ્રાણી રે.....
કો નવિ શરણં કો નવિ શરણ” માટે અભિમાન, કષાયોને છોડો કેમકે મોત સામે જ ઊભું છે. લાખ પ્રયત્ન કરવા છતાં મોત અટકતું નથી.
મૃત્યુ એક એવી એલાર્મ છે જે તમે સૂવાના લાખ પ્રયત્ન કરો તોય તમને જગાડી દે છે.
तावदेवमद विभ्रम माली, तावदेव गुण गौरवशाली A यावदक्षम कृतान्त कटाक्ष नेक्षितो विशरणो नरकीट : ॥२॥
તું ત્યાં સુધી જ અભિમાનમાં મસ્ત છે અને ત્યાં સુધી જ ગુણ ગૌરવ- શાલી છે, કે જયાં સુધી દુર્જય એવા યમરાજાનો ક્રૂર દ્રષ્ટિપાત થયો નથી. જ્યારે યમરાજાની દ્રષ્ટિ તારા ઉપર પડશે ત્યારે કીડા જેવા પામર વિશરણ નરને કોઈ બચાવી નહીં શકે !
આપણે અશરણ ભાવનાનું ચિંતન કરવાનું છે. વારંવાર આપણે અભિમાની બની જઈએ છીએ. જાણે મને કોઈ તકલીફ આવવાની જ નથી. સંપત્તિ, યૌવન, સત્તાનું જ્યારે-જ્યારે અભિમાન આવે ત્યારે મોતને નજર સમક્ષ રાખજો. એનુ ચિંતન કરજો કે મારે પણ આ બધું જ છોડીને જવાનું છે.
“ન રૂપ રહેગા ન જવાની રહેગી કોઈ ભી ન બાકી નિશાની રહેગી તુમ ભી ન ઈક દિન રહોને યહાં પર
કેવલ તુમ્હારી કહાની રહેગી....” લંકાનરેશ રાવણ અને મહાભારતના દુર્યોધન છેવટે રણમાં રોળાયા.