________________
४४
અનિત્ય ભાવના મોક્ષનું સુખ તો દૂર છે પણ પ્રશમસુખ તો પ્રત્યક્ષ જ રહેલું છે માટે આ જ જન્મમાં પ્રશમસુખનો આનંદ મેળવી લઈએ. અંતરના આનંદને મેળવવા માટે બહારના આનંદને, બહારના ઉત્સવને છોડવા પડશે કેમકે બહારનો ઉત્સવ અપેક્ષા કે આધાર વગર પ્રગટ થતો નથી પણ અંતરનો આનંદ નિરપેક્ષતાથી જ મળે. માટે અત્તર્મુખ બનવા માટે મોહ માયા સંગને છોડો.
“સરણની દિનમેં ખિલતા 8 પર તમે નહિ ચમુખી રતમેં ખીલતા પ્રભાતમેં નહિ અંતમુખી હરક્ષાણ ખીલતા હી રહેતા કયોંકી ઉસકી મુસ્કાન કિસીકે હાથમેં નહિ
આત્માની અનુભૂતિમાંથી પ્રાપ્ત થયેલ પ્રશમરસના સુધાપાન ઉત્સવ દ્વારા જીવન પરમ સુખી બને એજ અનિત્ય ભાવનાનું ફળ છે. અસ્તુ!
અનિત્ય ભાવના કેવી રીતે ભાવશો? * આ શરીર અનિત્ય છે * આણણ ક્ષણિક છે * યવન નાશવંત છે * વિષયો અનિત્ય છે * પતિ-લામી ચંચળ છે. * સંબંધો અનિત્ય છે. * વૃદ્ધત્વથી પરાધીનતા છે. * અને મહાકાળ - મૃત્યુ ભયંકર છે.
આ પ્રમાણે સતત ચિંતન કરતા રહો. સવાર-સાંજ તો કરો જ. એ ચિંતન દ્વારા મમત્વભાવ ઘટશે. મમત્વ ઘટશે એટલે પાપ ઘટશે. એનાથી દુર્ગતિથી જીવ બચી જશે.
જેટલું મમત્વ વધુ તેટલું દુઃખ વધુ જેટલું મમત્વ ઓછું તેટલું દુઃખ ઓછું.”