________________
સુધારા-૧૦ કડાકડી પડ્યેયમ =? સાગરેપસ,
શાન્તસુધારસ વિવેચન
૩૯
રહેશે ? એનું તું ચિંતન કર. આમ તો એમ હકીકત છે કે સંસારમાં સૌથી લાંબા કાળ સુધી સુખ હોય તો અનુત્તર દેવોનું છે. ૩૩ સાગરોપમનું એમનું આયુષ્ય હોય છે. અસંખ્ય વર્ષ થાય.. એક સાગરોપમમાં અસંખ્યાત પલ્યોપમ થાય... શાસ્ત્રમાં પલ્યોપમનું માપ આ પ્રમાણે બતાવેલ છે.
ચાર યોજન લાંબો-પહોળો અને ચાર યોજન ઊંડો એક કૂવો બનાવવાનો. માની લો કે મોટો ખાડો કરવો. ત્યાં તરતના જન્મેલ યુગલિકના માથાના વાળ ટુકડા કરી ભરવા (યુગલિકના વાળ એટલા માટે કે એકદમ આછા અને બારીક હોય). આખો કૂવો વાળથી ઠાંસી-ઠાંસી ને ભરી દેવો. ૧ ઈંચ જેટલી પણ જગ્યા ન રહે. પછી દર ૧૦૦ વર્ષે ૧ ટુકડો બહાર કાઢવો એમ કરતાં આખો કૂવો જ્યારે ખાલી થાય ત્યારે ૧ પલ્યોપમ પુરું થયું કહેવાય. આવા અસંખ્ય પલ્યોપમ પૂરા થાય ત્યારે ૧ સાગરોપમ. એવા ૩૩ સાગરોપમનું આયુષ્ય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવાસી દેવોનું હોય છે.
તેઓનું સુખ ઉત્કૃષ્ટ કોટિનું છે છતાં તેવા સુખનો પણ એક વાર અંત આવી જાય છે. કાલના પ્રભાવે બધા જ સુખ-દુઃખો ફર્યા કરે છે. એવી કઈ સાંસારિક વસ્તુ છે કે જે સ્થિર રહી હોય. બધું જ અશાશ્વત છે. નાશવંત છે માટે અશાશ્વતની પાછળ નહિ પણ શાશ્વતની પાછળ આપણે દોડવાનું છે.
આ જીંદગી છે પત્તાના મહેલ જેવી. મેઘધનુષના રંગ જેવી. એનો કોઈ ભરોસો નથી. માટે ધર્મ આરાધનાના પ્રભાવે શાશ્વત સુખો જીવનમાં મળે. આવ્યા પછી જાય નહિ એવો આનંદ થવો એના માટે જ પ્રયત્નશીલ બનવું જોઈએ.
હવે જીવનમાં થતા સંબંધો કેવા તકલાદી છે એ વાત પણ ઉપાધ્યાયજી મહારાજ ખૂબજ સરસ રીતે સમજાવી રહ્યા છે.
ચૈ: સમંીડિતા, યે = મુશમીડિતા:
यैः सहाकृष्पहि प्रीति वादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतान्
निर्विशंका स्म इति धिक् प्रमादम् ॥ ६ ॥ असकृदुन्मिष्य निमिषन्ति सिन्धूर्मिवत्
चेतनाऽ चेतना सर्व भावा :
इन्द्र जालोपमाः स्वजन धन संगमा :
तेषु रज्यन्ति मूढ स्वभावा: ॥ ७ ॥