________________
૧૩
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ અશાંત અને પરેશાન કેવા છે તે જોઈએ. હજારો ગ્રન્થ ભણે-ભણાવે, કંઠસ્થ કરે છતાં પંડિતો સંતપ્ત કેમ હશે? સંતતિનું કારણ શું?
આવો પ્રશ્ન મનમાં સ્ટેજ ઉદ્ભવે, હવે એનું સમાધાન પણ શોધી કાઢવાનું છે.
વિદ્વાન બનવું એ જુદી વાત છે અને જ્ઞાની બનવું એ બીજી વાત છે. જ્ઞાનાવરણીય કર્મનાક્ષયોપશમથી કદાચ વિદ્વાન બનાય છે પણ જ્ઞાની બનવા માટે તો મોહનો ક્ષય જરૂરી છે. વ્યવહારની ભૂમિકામાં પણ કહેવાય છે કે ત્રણ પ્રકારના માણસો છે
શાની - અન્યને ગબડતાં જોઈને પોતે સંભાળીને ચાલે અનુભવી - એક વાર પોતે ગબડયા પછી સંભાળીને ચાલે
આશાની - વારંવાર ગબડયા છતાં ઉન્મત્ત બનીને ચાલે છે. પ્રસ્તુતમાં આપણે જે વાત કરીએ છીએ તે પંડિતજનોની છે જેઓ ભાવનાથી પોતાના મનને ભાવિત કરતા નથી. તેઓ વિદ્વાન હોવા છતાં રાગદ્વેષમાં ફસાઈ જાય છે, અશાન્તિ ઉદ્વેગથી ભરાઈ જાય છે કેમ કે જગત મોહવિષાદના ઝેરથી પૂરેપૂરું ભરેલું છે. આવા સંસારમાં ભાવનાઓનું ચિંતન કર્યા વગર સુખનો અંશ મળવો મુશ્કેલ છે.
માટે નિરંતર ભાવનાઓથી મનને ભાવિત કરવું. ભાવનાઓ પણ શુભ અને અશુભ બે પ્રકારની હોય છે. અશુભ ભાવનાઓ ત્યાજ્ય છે
પાંચ અશુભ ભાવનાઓ કાંકર્ષિ ભાવના - વિષય ભોગની વિચારણા કરવી, કિબિપી ભાવના - ખટપટ-કલેશ-કંકાસ કરાવનારી વિચારણા, અભિયોગિકી ભાવના - યુદ્ધ-લડાઈ-ધમાધમની વિચારણા, દાનની ભાવના - મોહ-મદ-વિકારોના ખ્યાલોમાં રાચવું, સંમોહિ ભાવના - રાગ-દ્વેષ-મમત્વભાવો વધે તેવી વિચારણા.
આ પાપ ભાવનાઓ છોડવાની છે. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કહે છે કે. મનમાં અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રાદિ ચાર ભાવનાઓ વડે જો નિર્મળતા નથી કેળવી તો કશું ય નથી મેળવ્યું.