________________
શાજસુધારસ વિવેચન - ભાગ-૧
૧૧ આગમાનુસારે જ રચે છે. આગમથી વિપરીત વાણી પોતાના ગ્રન્થમાં ન આવે તેની કાળજી રાખે છે. ઉપા. વિનય વિ. મ. એ પણ આગમ અનુસાર શાન્ત સુધારણની રચના કરી છે. માટે શાન્તસુધારસ એ તીર્થકરના જ વચનો છે માટે એના ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ કરવો જ પડશે. આપણે ૪-૪ મહિના આ શાન્ત સુધારસનું જ પાન કરવાનું છે.
ઉપાધ્યાયજીએ જિનવાણીની સ્તુતિ કરી છે. “રમ્યાગિરઃ પાંતુ વડ” રક્ષણ કરે છે જિનવાણી -
જે જિનવાણીનો સહારો લે છે તેની અશાન્તિ અવશ્ય દૂર થાય છે. જિન વચનનું શરણ કરવાથી ભય-ષ અને ખેદ દૂર થઈ જાય છે. ખેદ - ઉદ્વેગ દૂર થઈ જાય શાન્તિ મળી જાય પછી બીજું શું જોઈએ? મન ચોખું થાય. શાન્ત બને. હળવાશ મળે ક્યારે? જિનવાણીથી પલ્લવિત બનીએ ત્યારે... મોટું ઘર બાંધવાથી મોકળાશ મળે
મોટું મન રાખવાથી હળવાશ મળે. માટે સતત જિનવાણીનું શ્રવણ કરો. સાનિધ્ય કેળવો. જુઓ. રોહિણેય ચોર, નરવીરડાકુ, ચંડ કૌશિક આ બધાજ જિનવાણીથી જ બચ્યા છે.
શાન્ત સુધારસ જિનવચનોની ગંગા છે. આ ગંગામાં સ્નાન કરવાનું છે. પ્રતિદિન સ્નાન કરો સ્વચ્છ થઈ જશો. જીવન સુધરી જશે મન સ્વચ્છ થઈ જશે...... બગડતું સુધરશે. વીતરાગ વાણીથી. એક વસ્તુ બગડે એટલે એની પાછળ ઘણું બગડે છે. જુઓ
મન બગડયું. તેનો મનખો બગડથો...., બુદ્ધિ બગી, તેનું બધું બગડયું. ચિત્ત બગડયું. તેનું શાસ્ત્ર બગડયું...., જીભ બત્રી, તેનું જીવતર બગડયું...., આંખ બગડ, તેનું આખુ બગડયું.” 8ાન બગડવા, તેનું કાળજું બગડયું..... ભાર્થી બગડી, તેનો ભવ બગડયો., સંસાર બગડયો, તેનો વિચાર બગડયો..... જીવન બગડયું. તેનું મરણ બગડયું,