________________
૧૨
શા સુધારસ વિવેચન - ભાગ-૧ બગડતું અટકાવે છે જિનવાણી. માટે આજથી સંકલ્પ કરજો કે રોજ જિનવાણી તો સાંભળીશ જ
અમે પણ આ પાટ ઉપર બેસીને જે ૧ કલાક વ્યાખ્યાન આપીએ છીએ તે પરમાત્માનું જ છે. પરમાત્માએ કહ્યું એ અમે તમને આપીએ છીએ. આંગડીયા જેવું કામ અમારું છે.
શાન્ત સુધારસ ગ્રન્થમાં જે ચાર વિશેષણોથી સંસારને નવાજવામાં આવ્યો છે તેમાં આપણે ભટકી રહ્યા છીએ તેમાં જિનવાણી શું કરે છે.?
ભવ વનમાં અભય આપે, ઘોર અંધકારમાં દિવ્ય દ્રષ્ટિ આપે, કર્મલતાઓમાંથી સાચો રસ્તો બતાવે.., થાકેલા જીવને શક્તિ-ર્તિ આપે,
ભવ વનમાં શત્રુઓથી બચાવનારી છે જિનવાણી.. બસ. જિનવાણી સાંભળતા જ રહો. સાંભળતા જ રહો....
સાત્તિતા નિવારણ માટે જિનવાણી શ્રાનિતા તિવારણ માટે જિલપુર કાતિના સર્જન માટે મોત
શાન્તિતા કાવતરણ માટે સમાધિ.” આજે આટલું જ રાખીએ...
કાલથી દ્વિતીય શ્લોક ઉપર વિવેચન કરવામાં આવશે.
स्फूरति चेतसि भावनया विना न विदूषामपि शान्तसुधारस : । न च सुखं कृशमप्यमूना विना
जगति मोहविषाद विषाकूले ॥२॥ શુભ ભાવના વગર વિદ્વાનો પણ મનમાં શાન્ત સુધાનો અનુભવ મેળવી શકતા નથી. મોહ અને વિષાદના ઝેરથી ભરેલ આ જગતમાં શાન્તસુધારસ વગર જરાપણ સુખ મળતું નથી.
વિદ્વાનો પણ કેવો માર ખાઈ જાય છે. એ વાત અત્રે આજે રજુ કરવાની છે.. પંડિતો પણ રાગ-દ્વેષમાં કેવા ફસાઈ ગયા છે, પંડિતો સંતપ્ત, વ્યાકૂળ