________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
શકે. સફળતા મેળવવી છે ને ? તો કર્મો સામે ઝઝુમવાનું નક્કી કરો. (૪) મોહના અંધકારથી વ્યાપ્ત
અહો ! કેવી વિષમતા છે જીવની ! એકાકી- અટુલો ભૂલો પડેલો આ મુસાફર છે.
એક તો ભયંકર ભવ-જંગલ છે વળી તેમાં આશ્રવોનો વરસાદ વરસી રહ્યો છે. અને કર્મલતાઓ વડે ચારે તરફ આચ્છાદન થઈ ગયું છે. તેમાં વળી ભળે છે હવે અંધકાર... પ્રકાશનું એક પણ કિરણ નથી, ચારે ય કોર અંધારૂં અંધારૂં છે... રસ્તો મળતો હોય તો પણ ન મળે. પણ આ અંધારું શાનું છે ?
એ અંધારું છે. મોહનું... અજ્ઞાનનું....!
જરા વિચાર તો કરો કે આવા જંગલમાં આપણે એકાકી ભટકીએ છીએ કોઈ સંગી નથી કોઈ સાથી નથી અને અંધારામાં અટવાયા કરીયે છીએ. મોહ રૂપી અંધકાર ચારે બાજુ ફેલાઈ ગયો છે.
સંસારમાં મોહ શું ન કરે ? ખોટાને સાચું માને સાચાને ખોટું માને ! મોહ -
કાર્યનો નાશ કરે, મિત્રનો નાશ કરે,
સદ્ગતિને રોકે, સર્વનો નાશ કરે, અકાર્ય કરે. કાર્ય ન કરે,
૭
અયોગ્ય સ્થાને જાય, યોગ્ય સ્થાને ન જાય, અપેમનું પાન કરે, અભક્ષ્યનું ભક્ષણ કરે, પેયનું પાન ન કરે, ભક્ષ્યનું ભોજન ન કરે, અહિત આચરે,
હિત ન આવ્યરે,
અરે ! મોહાધીન શું ન કરે !
અહો... આવા ભયાનક જંગલમાં એકલા, ભૂલ્યા ભટક્યા છો શું