________________
८
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ દશા થાય ? જરા વિચારી તો જુઓ... કંપી ઉઠશો. રોવા લાગશો... પણ ત્યાં પોકાર કોણ સાંભળે ? અને... અને આવી વિષમ દશામાં કોઈ તમારો પોકાર સાંભળે ! તમને સાન્દ્વન મળે એવા શબ્દો સંભળાય તો કેટલી ખુશી થાય ? નાચવાનું મન થઈ જાય ! હાશકારો થાય. છે કોઈ આવા જંગલમાંથી ઉગારનાર ? મીઠા-મધુરા વચનો સાંભળવા મળે ખરા ?
હા. જરૂર મળે.
પૂ. ઉપા. વિનય વિજયજી મહારાજ એ જ વાત હવે પછી બતાવી રહ્યા છે. આ જંગલમાં જિનવાણી જ તારણહાર છે.
सुधारस किरो रम्या गिरः पान्तु वः
અનંત તારક તીર્થંકર પરમાત્માની કરૂણા નિરંતર આપણા ઉપર વરસ્યા કરે છે. પરમાત્મા નિષ્કારણ બંધુ છે. પરમાત્મા કરૂણાના સાગર છે. કૃપાના અવતાર છે. દયા સિંધુ છે.
પરમાત્માની સમીપે જનારા કંઈક લઈને જાય છે. પરમાત્મા કોઈ જાતના બદલાની અપેક્ષા વગર સતત આપે જ રાખે છે. પરમાત્મા જો દિલમાં આવી જાય તો કશું જ બાકી રહેતું નથી. પરમાત્મા એ ઉત્તમ કોટિ નું પાત્ર છે. કહ્યું પણ છે કે...
=
રત્ન સમાન પાત્ર
સુવર્ણ સમાન પાત્ર ચાંદી સમાન પાત્ર
આવક શ્રાવિકા - તૃતી
તાંબા સમાન પાત્ર
સમ્યક્ત્વી આત્મા
અન્ય સામાન્ય જીવો.
લોઢા સમાન પાત્ર ઉપરોક્ત પાંચ પ્રકારના પાત્રો બતાવ્યા છે. તેમાં રત્ન સમાન પાત્ર તીર્થંકર પરમાત્માનું છે.
શાન્તસુધારસ ગ્રંથમાં પરમાત્માની વાણીને અમૃતમય ગણાવી છે. સુધારસમય જિનવાણી આપણું રક્ષણ કરો...
=
=
=
તીર્થંકર દેવ
સાધુ-સાધ્વી
=
પરમાત્મા રાગ-દ્વેષ-મોહથી રહિત છે. ન કોઈ પ્રત્યે રાગ, ન કોઈ પ્રત્યે દ્વેષ, છતાં સર્વ ઉપર કરૂણાવંત હોય છે. અહિં પરમાત્મા ને એક વિશેષણ આપ્યું છે....