________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ભવરૂપી જંગલમાં સર્વત્ર કર્મોની વેલડીઓ ફેલાયેલ છે. જમીનનો એક પણ ટુકડો એવો નથી કે જ્યાં કર્મલતા ન હોય. ત્રણે લોકમાં નજર કરો. જ્યાં જ્યાં પગ મૂકો સર્વત્ર કર્મવેલી પગમાં વીંટળાઈ જશે.
મુખ્યત્વે કર્મો ૮ છે અને પેટા ભેદો ૧૫૮ છે -
કમ
૧૦:
જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ વેદનીય કર્મ મોહનીય કર્મ આયુષ્ય કર્મ નામ કર્મ ગોબ કર્મ અંતરાય કર્મ
૧૫૮ આ આઠેય કર્મો જીવને સતત બંધાતા જ રહે છે. એક માત્ર આયુષ્યકર્મ જીવનમાં એક જ વાર બંધાય છે. બાકીના સાત કર્મો અવિરત પણે બંધાયા જ કરે છે. કર્મ બંધાય છે અને ઉદયમાં આવે છે. કેટલીક કર્મલતા વીંટળાઈ વળે છે. કેટલાક છૂટી જાય છે. કેટલાક કર્મ જીવને દુઃખી કરે છે, કેટલાક કર્મો જીવને સુખી કરે છે. ટૂંકમાં કર્મ વડે વ્યાપ્ત છે જીવોનું નસીબ... ભાગ્ય !! સુખ કે દુઃખ કર્મોથી જ આવે છે માટે જ કહેવાય છે કે- “કર્મ વગર પીડા આવશે નહિ અને દુઃખ આપ્યા પછી કર્મો ઊભા રહેશે નહીં.”
ટુંકમાં કર્મને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. નિમિત્તો તોબાપડા બિચારા છે. જો કર્મન હોય તો નિમિત્તોની કોઈ તાકાત નથી કે જીવને દુઃખી કરી શકે. એટલે દૂર કરવાના છે કર્મોને, નિમિત્તોને નહિ. જુઓ- “ આપણે છીએ બિલ્ડર....
કોં કે એન્જિનીયર
નિમિત્તો છે કડીયા-મરો” કડીયા-મજુરો સાથે માથા ફોડે તે બિલ્ડર ક્યારેય સફળતા ન મેળવી