________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ દુઃખી દુઃખી બની ગયા !!!
યોગ
૫
પાંચમી વર્ષા છે. મન-વચન-કાયાના યોગની. “મનના વિચારો, વચનના ઉચ્ચારો, કાયાના આચારો” શુભ-પવિત્ર અને પ્રિયહિતકારી હોવા જોઈએ. શુભ યોગોથી શુભ કર્મ બંધાય, અશુભ યોગોથી અશુભ કર્મો બંધાય...
પાંચ આશ્ચવો કર્મબંધનું કારણ છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. અવિરતિ પાંચ પ્રકારે છે. પ્રમાદના ૨૫ ક્રિયા સ્વરૂપ ૨૫ ભેદ છે. કષાય ૪ અને યોગ ૩ પ્રકારે છે કુલ ૪૨ ભેદ
થયા.
આની સવિશેષ સમજણ આશ્રવ ભાવનામાં લઈશું.
સંસાર રૂપી જંગલમાં સદૈવ ભમતો-આશ્રવની માયાજાળમાં ફસાતો જીવ આખું જીવન રફેદફે કરી નાખે છે. બાળપણ-યુવાની-વૃદ્ધાવસ્થાના ત્રિકોણમાં આયખું સમાપ્ત કરે છે. કહ્યું છે કે
“ન આવે ને જાય તે બાળપણ.... આવે ને જાય તે યુવાની..... આવે અને ન જાય તે વૃદ્ધાવસ્થા.‘
માટે જ ઉત્તમ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને ભૂલોની પરંપરાને વધારવાનું નહિ પણ ઘટાડવાનું કામ કરવું જોઈએ. જેમ જેમ ભૂલો થતી જશે તેમ તેમ ઉન્માર્ગે વળી જવાનું કામ થશે. અને પછી મુશ્કેલી, આફતો અને તકલીફોનું તાંડવ પણ ખેલાયા જ કરવાનું છે.
સો ફૂલ કમ હૈ દુલ્હન કો સજાને કે લીયે..... એક ભૂલ કાફી હૈ ઉન્માર્ગ મેં ગિરજાને કે લિયે..... સો સો ખૂશીયાં કમ હૈ જીંદગીકો હસાને કે લિયે.....
એક ગમ કાફી હૈ જીંદગી ભર રુલાને કે લિયે હવે આ પાંચેય આશ્રવોને સમજીને ત્યાગ માર્ગમાં આવવાની કોશિષ કરવી જોઈએ.
(૩) કર્મ વેલડીઓથી ગહન ભવ વન