________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ કારણે જીવ આર્ત-રૌદ્ર ધ્યાન કરે છે.
ચાર પ્રકારના આર્તધ્યાન બતાવ્યા છે - ઈષ્ટનાશ :- પ્રિયવસ્તુનો વિયોગ થશે અથવા નાશ પામશે તો શું
કરીશ? ઈત્યાદિ ચિંતા કરવી. અનિષ્ટ સંયોગ:-અનિષ્ટ વ્યક્તિ કે પદાર્થોનો સંયોગ થયો અથવા થશે
તો શું કરીશ..? વિ. ચિંતા કરવી. રોગ પ્રતિકાર :- તબિયત બગડશે કે રોગ ઉત્પન્ન થશે તો. શું કરીશ?
તથા દવા, ડૉ. ઉપચાર આદિની ચિંતા. આગામી ચિંતા -મારું થશે? શાના ઉપર મારો ગુજારો ચાલશે? મને
કોઈ સહાય કેવી રીતે મળશે? ઈત્યાદિ ચિંતા. આ આર્તધ્યાનના પ્રકારો છે આની જેમ જ રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર બતાવ્યા છે. એ પણ સંક્ષેપમાં સમજાવી દઈએ જેથી જીવ આર્તધ્યાન રૌદ્રધ્યાનથી મુક્ત બની શકે.
રોદ્રધ્યાનના ૪ પ્રકાર હિંસાનુબંધી -બીજાને મારવાનો વિચાર. દુઃખદેવાનો વિચાર કરવો. મૃષાનુબંધી - જૂઠ બોલવાનો, છેતરપિંડી કરવાનો અથવા કોઈ ઉપર
આરોપ-આક્ષેપ કરવાનો વિચાર, ચૌચાંનુબંધી -પરધન લેવાનો, કોઈની ચીજવસ્તુ ઉપાડવાનો કે ચોરી
કરવા-કરાવવાનો વિચાર કરવો તે. પરિગ્રહાનુબંધી -ધન કેમ વધે? ધન મેળવવા શું કરવું? તેમજ લોભ
તૃષ્ણા આદિનો સતત વિચાર કરવો તે. આ પ્રમાણે મિથ્યાત્વને બરાબર જાણીને છોડવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. મિથ્યાત્વ જાય એટલે એવા પ્રકારનો વિચાર આવે કે..
“સંસાર એ કંસાર નથી પણ ભંગાર છે.” બીજા આશ્રવનું નામ છે - અવિરતિઃ
અવિરતિ આશ્રવ વડે કોઈપણ પ્રકારનું નાનું-મોટું વ્રત લેવાની ઈચ્છા થતી નથી કે ઉત્સાહ જાગતો નથી. નિયમ વગરનું જીવન તો વ્યર્થ છે. એમ કહેવાય છે. કે “નાથ વગરનો બળદ નેનિયમ વગરનો મરદ"બેય સરખા.