________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ મિથ્યાત્વથી ભીંજાનાર અવિરતિથી ભીંજાઈ જાય છે અને કર્મબંધ કરી દુઃખી બને છે. અવિરતિના કારણે જીવન પાપમય બને છે અને પાપ પ્રત્યે તિરસ્કાર કે ધૃણા પણ પેદા થાય નહિ! કહ્યું પણ છે કે...
જેને..
પાપ સેવન પહેલા અંતઃકરણમાં ડર.. પાપ સેવન સમયે અંતઃકરણમાં ઠંખ અને પાપ થયા પછી પણ અંતઃકરણમાં દર્દ ન હોય!
એનું જીવન પાપમય જ છે. માટે અવિરતિનો ત્યાગ કરવો જરૂરી છે. સંસારમાં જીવ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિમાં અટવાયા કરે છે. લેશમાત્ર સુખનો અનુભવ થતો નથી. કેવી રીતે જીવન જીવાય છે એ જ ખબર પડતી નથી !!!
જીવન જીવાય છે શાથી? નથી એ વાત સમજાતી ! બિચારો જીવ છે એક જ અને હજારો છે હાડમારી ! ત્રીજી આશ્રવ... પ્રમાદ
પ્રમાદથી અનેક પ્રકારની વિકૃતિઓ પેદા થાય છે. મુખ્યત્વે પાંચ વિકૃતિઓ તો આવે ને આવે જ.... નિદ્રા - ઉંઘવાનું બહુ ગમે. પ્રિય લાગે. વિષય લાલસા - પાંચ ઈન્દ્રિયોના વિષયોથી મન વિકૃત બને છે. કષાયો
- વારંવાર કષાયો કરે છે. વિકથા :- વિકૃતકથાઓ-શૃંગારપ્રધાન-કામપ્રધાન કથાઓ તે
વિકથા. દેશ-રાજ્ય અને ભોજન સંબંધી કથાઓમાં
સમય બરબાદ થાય છે. - પાંચમી વિકૃતિ.... આળસ છે. સુસ્તી આવે.... જીવન
આળસુ બને છે. પ્રમાદની વર્ષોમાં ભીંજાતા જીવને ઉપરોક્ત વિકૃતિઓ નડે છે. ચોથો આશ્રવ છે કષાયનો..
ભવ જંગલમાં સતત ક્રોધ-માન-માયા-લોભની વર્ષા થયા જ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદથી બચ્યા પણ કષાયોની પરવશતામાં તો