________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પણ અત્યારે તે ફળોની ઋતું નથી. માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયાં. ત્યાં તે બનાવટી ફળોના છૂટા છૂટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યાં.
હરણીયાઓએ તે ફળો જોયા અને પોતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળો જોયા અને બધા હરણીયાઓને કહ્યું કે “કોઈ ધૂર્ત આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળોની ઋતુ નથી.” કદાચ તમે એમ કહો કે “અકાલે પણ ફળો આવે.” તો પણ પહેલાં કોઈ વખતે આ રીતે ઢગલા થયા ન હતા. “જો પવનથી આ રીતે ઢગલા થઈ ગયા હશે એમ લાગતું હોય તો પૂર્વે પણ પવન વાતો હતો પણ આ રીતે ઢગલા થયા નથી માટે તે ફળો ખાવા માટે કોઈએ જવું નહિ.”
આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવા ગયા, જ્યાં ફળો ખાવા લાગ્યા ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાઓને પકડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાઓએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઇચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં.
ભાવગવેષણાનું દષ્ટાંતા કોઈ મહોત્સવ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાકર્મિ) ભોજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બોલાવીને ભોજન આપવા માંડ્યું. તેના મનમાં એમ હતું કે “આ જોઈને સાધુઓ આહાર લેવા આવશે.”
આચાર્યને આ વાતની કોઈ રીતે ખબર પડી ગઈ. તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જવો નહિ. કેમકે તે આહાર આધાર્મિ છે.”
કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળોમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો.
જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આઘાકર્મિ આહારલીધો નહિ, તે સાધુઓ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા.
માટે સાધુઓએ નિર્દોષ આહાર-પાણી આદિની ગવેષણા કરવી જોઈએ અને