________________
સંસ્તવપિંડ દોષ
તે સ્ત્રી પોતાની પુત્રી સાધુને આપે.
‘તમારા જેવી મારી સ્ત્રી હતી' એમ બોલે તો -
૧૪૩
? કદાચ તે સ્ત્રીનો પતિ ત્યાં ઊભો હોય અને તે ઈર્ષાળુ હોય તો તે વિચાર કરે કે આ સાધુડાએ મારી પત્નીને પોતાની પત્ની કલ્પી. તેથી સાધુને લાકડી વગેરેથી માર મારે.
(
૨ તે સ્ત્રીનો પતિ પાસે ન હોય તો તે સ્ત્રી વિચાર કરે કે · આને મને સ્ત્રી તરીકે કલ્પી.' તેથી કદાચ તે ઉન્મત્ત બની સ્ત્રીની જેમ આચરણ કરતી સાધુના ચિત્તને ક્ષોભ પમાડે. તો સાધુના વ્રતનો ભંગ થાય.
ઉપર મુજબ સામાને પ્રિય થવા વચન બોલે તેમાં જો સામો પ્રત્યેનીક-દ્વેષી હોય તો વિચાર કરે કે ‘આ માયાવી અમને વશ કરવા આ પ્રમાણે મીઠુ મીઠુ બોલે છે તથા અમને બાવા, જોગી જેવાની મા વગેરે કહી અમારી અપભ્રાજના કરે છે.' આ પ્રમાણે વિચારીને ઘ૨માંથી કાઢી મૂકે, માર મારે વગેરે ઉપદ્રવ કરે.
જો તે ગૃહસ્થ ભદ્રક હોય તો સાધુ પ્રત્યે સ્નેહ થાય અને તેથી સાધુ માટે આધાકર્માદિ આહાર બનાવીને આપે. વગેરે અનેક પ્રકારના દોષો સંસ્તવ ક૨વામાં રહેલા છે. માટે સાધુએ આવા પ્રકારે સંસ્તવ દ્વારા ભિક્ષા લેવી નહિ.
ઇતિ એકાદશ સંસ્તવપિંડ દોષ નિરૂપણ.