________________
દાયક દોષ
૧૭૭
સુકાઈ ગયેલ હોય. આવા કોઢ વગેરેમાં આજુબાજુમાં બીજા લોકો ન હોય તો તેની પાસેથી લેવું કહ્યું.
૯ આરૂઢ – પગમાં પાદુકા, જોડા આદિ પહેરેલ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
પાદુકા આદિ પહેરેલ હોય અને ભિક્ષા આપવા માટે ચાલવા જતાં કદાચ પડી જાય, તો તેથી વિરાધના આદિ થાય માટે તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ-પગમાં પાદુકા આદિ પહેરેલ હોય પણ નિશ્ચલ આસને બેઠેલ હોય તો કારણે ભિક્ષા લેવી કહ્યું.
૨૦ હસ્તાત્ – બન્ને હાથ લાકડાની હેડમાં નાખેલા હોય, તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
હાથ હેડમાં હોવાથી ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, માટે તેની પાસે ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ – સુખપૂર્વક હાથ ફેરવી શકતો હોય, આપતાં કષ્ટ પડે એમ ન હોય અને આજુબાજુમાં બીજા લોકો ન હોય તો તેવી કલ્પ.
૨૨ નિગડ - પગમાં લોઢાની બેડીઓ નાખેલી હોય, તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પ.
૨૨ છિન્નહસ્તપાદ - હાથ કે પગ કપાયેલા હોય, લંગડો કે ટૂંઠો હોય તો તેની પાસે ભિક્ષા લેવી કહ્યું નહિ.
ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડો-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જીવનિકાયની વિરાધના વગેરે દોષો થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ - ઉપર કહેલ દોષોનો જે પ્રસંગમાં સંભવ ન હોય અને આજુબાજુમાં બીજા લોકો ન હોય તો ભિક્ષા લેવી કલ્પ.
૨૩ ત્રિરાશિક - નપુંસક પાસેથી ભિક્ષા લેવી ન કલ્પ. નપુંસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દોષો રહેલા છે.
નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઈને તેને વેદોદય થાય અને કુચેષ્ટા કરે એટલે બન્નેને મૈથુનકર્મનો દોષ લાગે.
વારંવાર ન જાય પણ કોઈક વખતે જાય તો મૈથુનદોષનો પ્રસંગ ન આવે પરંતુ