________________
૨૦૦
૨. પ્રમાણ દોષ
बत्तीस किर कवला आहारो कुच्छिपूरओ भणिओ ।
પુરિસસ્ત્ર મહિલા! અઠ્ઠાવીસ મવે વતા।।૧।। (પિં. નિ. ૬૪૨) જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારોમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાનો ટાઇમ ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલો આહાર પ્રમાણસર કહેવાય.
પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણાતિરિક્ત દોષ થાય અને તેથી સંયમ અને શરીરને નુકશાન થાય.
સામાન્ય રીતે પુરુષ (સાધુ) ને માટે બત્રીસ કોળિયા જેટલો આહાર અને સ્ત્રી (સાધ્વી) માટે અટ્ઠાવીસ કોળિયા જેટલો આહાર પ્રમાણસર કહેવાય. કુક્કુટી-કુકડીના ઇંડા જેટલા પ્રમાણનો એક કોળિયો ગણાય. કુક્કુટી-બે પ્રકારની ૧ દ્રવ્ય કુક્કુટી અને ૨ ભાવકુક્કુટી. દ્રવ્ય કુક્કુટી-બે પ્રકારે ૧ ઉદર કુક્કુટી, ૨ ગલકુક્કુટી. ઉદરકુક્કુટી-જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલો આહાર. ગલકુક્કુટી-પેટ પૂરતા આહારનો બત્રીસમો ભાગ અથવા જેટલો કોળિયો મુખમાં મૂકતાં મોં વિકૃત ન થાય, તે પ્રમાણનો કોળિયો અથવા સહેલાઈથી મુખમાં મૂકી શકાય તેટલા આહારનો કોળિયો.
ભાવકુક્કુટી-જેટલો આહાર વાપરવાથી (ઓછો નહિ તેમ વધારે નહિ)