________________
કારણ દોષ
૨૦૫
૪ શુભધ્યાન કરવા-ભૂખ્યો સાધુ સ્વાધ્યાય આદિ શુભધ્યાન-ધર્મધ્યાન કરી ન શકે, અભ્યાસ કરેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવામાં અસમર્થ થાય, તેથી ધર્મધ્યાનની હાનિ થાય. માટે શુભ ધ્યાન ક૨વા સાધુ આહાર વાપરે.
૫ પ્રાણોને ટકાવી રાખવા-ભૂખ્યા હોય તો શરીરની શક્તિઓ ક્ષીણ થાય. જેથી શરીરની શક્તિ ટકાવી રાખવા સાધુ આહાર વાપરે.
૬ ઇર્યાસમિતિનું પાલન કરવા-ભૂખ્યા હોય તો ઇર્યાસમિતિનું બરાબર પાલન થઈ ન શકે. ઇર્યાસમિતિનું પાલન સારી રીતે થઈ શકે તે માટે સાધુ આહાર વાપરે.
આ છ કારણોએ સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનો વિશિષ્ટ વર્ણ આકૃતિ થાય, મધુર સ્વર થાય, કંઠની મધુરતા થાય તેમજ સારા સારા માધુર્ય આદિ સ્વાદ ક૨વા આહાર ન વાપરે. શરીરના રૂપ, રસાદિ માટે આહાર વાપરતા ધર્મનું પ્રયોજન નહિ રહેવાથી કારણાતિરિક્ત નામનો દોષ લાગે છે.
છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરવો. અર્થાત્ ઉપવાસ ક૨વો તે કહે છે.
आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु ।
પાળિવવા તવદેવું સરીવોલ્ઝેવળદાણ ।।૧૬।। (પિં. નિ. ૭૬૬) ? આતંક-તાવ આવ્યો હોય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાયુ, શ્રમ, ક્રોધ, શોક, કામ અને ક્ષતથી ઉત્પન્ન નહિ થયેલા તાવમાં લંઘન-ઉપવાસ ક૨વાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે.
૨ ઉપસર્ગ-સગાસંબંધી, દીક્ષા છોડાવવા આવ્યા હોય, ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે ‘આહાર નહિ વાપરે તો મરી જશે.' એટલે સગાસંબંધીઓ દીક્ષા છોડાવે નહિ તથા રાજા કોપાયમાન થયો હોય તો ન વાપરે તથા દેવ, મનુષ્ય કે તીર્યંચ સંબંધી ઉપસર્ગ થયો હોય તો ઉપસર્ગ સહન કરવા ન વાપરે.
૩ બ્રહ્મચર્ય-બ્રહ્મચર્યને બાધક એવો મોહનો ઉદય થયો હોય તો ન વાપરે. ભોજનનો ત્યાગ કરવાથી મોહોદય શમી જાય છે.
૪ પ્રાણીદયા-વરસાદ વરસતો હોય, છાંટા પડતા હોય, સચિત્ત ૨જ કે ધુમ્મસ આદિ પડતી હોય કે સમૂર્છિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો તે જીવોની રક્ષા માટે-પોતાથી તે જીવોની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર ન નીકળે. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે