________________
૨૦૯
ઉપસંહાર
इइ तिविहेसणदोसा लेसेण जहागमं मएऽ भिहिया ।
ગુરુત્સદ્દવિસે તે ર મુક્ત ૩ ૨૦૨ા (પિં. વિ. ૧૦૦) ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની એષણા-ગવેષણા, ગ્રહણ એષણા અને ગ્રાસએષણાના દોષો સંક્ષેપથી આગમને અનુસારે નવમા પૂર્વમાં રહેલ શ્રતરૂપ શ્રી પિંડનિર્યુક્તિ આદિ શાસ્ત્રને અનુસારે જણાવ્યા છે. આ દોષોમાં નાના મોટા દોષોનો વિભાગ તથા દોષોના વિષયોમાં દૃષ્ટાંત, પ્રત્યપાય, ઉત્સર્ગ, અપવાદ, શય્યાતર, રાજપિંડ, ઉપાશ્રય, વસ્ત્રપાત્ર વગેરેમાં રહેલ દોષો વગેરે જે અહીં ન કહ્યું હોય તે બીજા સૂત્રોથી જાણી લેવું.
અહીં નહિ કહેલું બીજાં સૂત્રોથી જાણી લેવાની સૂત્રકારે ભલામણ કરી છે. પરંતુ પિંડ વિશુદ્ધિ પ્રકરણની ટીકામાં શ્રી જિનવલ્લભગણિએ કહેલું છે તેમાંથી બેતાલીસ દોષો અંગે ટૂંકમાં અહીં જણાવાય છે.
દોષોમાં મોટાં અને નાના દોષો સૌથી મોટો દોષ મૂલકર્મ, પછી આધાકર્મ, પછી કર્મ ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ (સમુદ્દેશ, આદેશ, સમાદેશ) મિશ્રના છેલ્લા બે ભેદ (પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર) બાદર પ્રાકૃતિકા, સપ્રત્યપાય પરગામ અભ્યાહત, લોભપિંડ, અનંતકાય વડે અવ્યવહિત નિક્ષિપ્ત પિહિત સંહત ઉન્મિશ્ર અપરિણત અને છર્દિતદોષ (આ છ દોષો) સંયોજના, અને વર્તમાન-ભવિષ્યકાળનું નિમિત્ત એ ઓછા દોષવાળા છે.