Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૪ ૫. કારણ દોષ छुहवेयणवेयावच्च-संजमसुज्झाणपाणरक्खणट्ठा । રૂરિયં ચ વિનોદે મુંન રૂવરસદે પારકા (પિં. વિ. ૯૮) આહાર કરવાનાં છ કારણો છે. આ જ કારણો સિવાય આહાર વાપરે તો કારણોતિરિક્ત નામનો દોષ લાગે. છ કારણો- સુધાવેદનીય દૂર કરવા, ર વૈયાવચ્ચ સેવા ભક્તિ કરવા, ૩ સંયમનું પાલન કરવા, ૪ શુભધ્યાન કરવા, ૫ પ્રાણોને ટકાવી રાખવા, ૬ ઇર્યાસમિતિનું પાલન કરવા. આ જ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. ૨ સુધાનું નિવારણ કરવા-ભૂખ જેવી કોઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે. આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુ:ખો સાન્નિધ્ય કરે છે અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુ:ખો આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે. ૨ વૈયાવચ્ચ કરવા-ભૂખ્યો સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે. ૩ સંયમનું પાલન કરવા-ભૂખ્યો સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જના આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244