Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 223
________________ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ કાયમ ઉદરનો એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવો જોઈએ. એક ભાગ ખાલી ન રહે તો શરીરમાં પીડા કરે. ૨૦૨ पगामं च निगामं च पनीयं भत्तपाणमाहरे । અવદુવં અવદુતો પમાળોસ મુજ્ઞેયો ।।૨રૂ।। (પિં. નિ. ૬૪૪) જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણીત, અતિબહુક અને અતિ બહુશ: ભક્તપાનનો આહાર કરે તે પ્રમાણદોષ જાણવો. ? પ્રકામ-ઘી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કોળિયા પ્રમાણથી વધુ વાપરે તે. ૨ નિકામ-ઘી આદિ નહિ નીતરતા આહારના બત્રીસથી વધારે કોળિયા પ્રમાણ એકથી વધારે દિવસ વાપરવા તે. ૩ પ્રણીત-કોળિયો ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતો હોય તેવો આહાર વાપરવો તે. ૪ અતિબહુક-અકાંતરીયા થઈને વા૫૨વું તે. ૫ અતિબહુશ:-અતિલોલુપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરવો તે. સાધુએ ભૂખ કરતાં પણ ઓછો આહાર વા૫૨વો જોઈએ. જો વધુ આહાર વાપરે તો આત્મવિરાધના, સંયમવિરાધના, પ્રવચનવિરાધના આદિ દોષો થાય. આત્મવિરાધના-બે વખત, ત્રણ વખત અને તેથી પણ વધુ વખત વાપરેલો આહાર પાચન નહિ થવાના યોગે ઝાડા થાય કે ઉલટી થાય, બિમારી આવે કે શરીરને નુકશાન થાય યાવતુ મૃત્યુ થાય. સંયમવિરાધના-વધારે આહાર વાપરવાના યોગે શરીરમાં રોગ થવાથી શેક કરે, તેમાં તેઉકાય આદિની વિરાધના, ઔષધ વગેરેમાં છકાયજીવની વિરાધના થાય. પ્રવચન વિરાધના-અધિક આહાર વાપરવાથી સાધુ માંદો પડે, તે જોઈને લોકો નિંદા કરે કે ‘આ સાધુડા રસનામાં લંપટ છે, તેથી માંદા પડે તેમાં શી નવાઈ ?' વગેરે બોલે. અધિક આહારના યોગે બ્રહ્મચર્યની વિરાધના આદિ અનેક પ્રકારના દોષો થાય છે. માટે સંયમ અને શરીરને ગુણકારી પ્રમાણસર આહાર વાપરવો જોઈએ. ઇતિ પ્રમાણ દોષ નિરૂપણ.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244