________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
બહાર જવું ન પડે અને અકાયાદિ જીવોની વિરાધનાથી બચાય.
૫ તપ-તપશ્ચર્યા કરવા માટે. શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસનો તપ કહ્યો છે. ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે.
૨૦૬
૬ શરીરનો ત્યાગ કરવા-લાંબા કાળ સુધી ચરિત્ર પાળ્યું, શિષ્યોને વાચના આપી, અનેકને દીક્ષા આપી, અંતે વૃદ્ધપણામાં ‘સર્વ અનુષ્ઠાનોમાં મરણ-અનશન આરાધના સાર છે, માટે તેમાં મહાપ્રયત્ન કરવો જોઈએ.’ આમ સમજી આહારનો ત્યાગ કરવા પૂર્વક શરીરનો ત્યાગ કરે. શરીરનો ત્યાગ કરવા આહાર ન વાપરે.
ઇતિ કારણ દોષ નિરૂપણ.