Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 209
________________ ૧૮૮ ૯. લિપ્ત દોષ दहिमाइलेवजुत्तं लित्तं तमगेज्झमोहओ इहयं । સંસમવરસાવલેસલ્વેદિ મમરા પાટા (પિ. વિ. ૯૧) લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્યો લિપ્ત કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્યો સાધુને લેવા કહ્યું નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધોવામાં પશ્ચાતુકર્મ વગેરે દોષો લાગે છે તથા રસની વૃદ્ધિ-આસક્તિપણું થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ (બાકી રહેલું) દ્રવ્યના આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવાદે લેપવાળું લેવું કલ્પી શકે. શિષ્ય શંકા કરતો કહે છે-“લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશ્ચાતુકર્મ આદિ દોષો થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું.” એમ આપે કહ્યું તો પછી સાધુએ ભોજન કરવું જ નહિ, અર્થાત્ રોજ ઉપવાસ કરવા જેથી પશ્ચાતુકર્મ દોષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવા-આવવાનું કષ્ટ ન થાય, રસની આસક્તિ વગેરે કોઈ દોષો લાગે નહિ. રોજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન ? આચાર્ય મહારાજ જવાબ આપતાં કહે છે-હે મહાનુભાવ ! જિંદગી સુધીનો ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244