________________
અપરિણત દોષ
૧૮૭
શંકા-સાધારણ અનિવૃષ્ટ અને આપનારથી ભાવ અપરિણતમાં શો ફરક છે ? સમાધાન-અનિસૃષ્ટમાં બધા માલિક ત્યાં હાજર ન હોય ત્યારે તે સાધારણ અનિસૃષ્ટ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકો ત્યાં હાજર હોય. આટલો તફાવત છે.
ભાવથી અપરિણત ભિક્ષા લેવી કહ્યું નહિ. કેમકે તેમાં કલહ આદિ દોષોનો સંભવ છે.
દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે.
ઇતિ અષ્ટમ અપરિણત દોષ નિરૂપણ.