Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 216
________________ ૧૯૫ ગ્રાસએષણા णामं ठवणा दविए भावे घासेसणा मुणेयव्वा । ત્રે મછાદર માવંમ જ દોડ઼ પંચવિદા ૦૧ ૫ (પિં. નિ. ૩૨૯) ગ્રાસએષણાના ચાર નિક્ષેપ છે- નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ગ્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસએષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે - ૨ નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઈનું નામ હોય તે. ૨ સ્થાપના ગ્રાસએષણા-ગ્રાસએષણાની કોઈ આકૃતિ. ૩ દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ વાપરવી. ૪ ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. 1 આગમભાવ ગ્રાસએષણા.2 નોઆગમભાવ ગ્રાસએષણા. આગમભાવ ગ્રાસએષણા-ગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત-સંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કહેલ વસ્તુના અર્થને સમજાવવા માટે ચરિત-બનેલા અને કલ્પિત એમ બે પ્રકારના દૃષ્ટાંતો હોય છે. તેમાં અહીં દ્રવ્ય ગ્રાસએષણા ઉપર મત્સ્યનું કલ્પિત દૃષ્ટાંત કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244