________________
૧૩૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પૃથ્વીકાય, અપૂકાય વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારો હોય છે. પરંતુ અહીં માત્ર સચિત્તનો જ અધિકાર લીધેલો છે.
તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઈ શકતા નથી, કેમકે લોકમાં તેવો વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરનું પ્રષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તો તેનો પ્રક્ષિતદોષ થતો નથી.
સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા ૨. હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. ૨. હાથ પ્રક્ષિત પણ વાસણ પ્રક્ષિત નહિ. ૩. વાસણ પ્રક્ષિત પણ હાથ પ્રષિત નહિ. ૪. વાસણ પ્રલિત નહિ અને હાથ પણ પ્રષિત નહિ. પહેલા ત્રણ ભાંગાનું કહ્યું નહિ, ચોથા ભાંગાનું કહ્યું. ગહિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કલ્પ નહિ
પ્રક્ષિત વસ્તુ ગ્રહણ કરવામાં કીડી, માખી આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તેવો આહાર લેવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
ઇતિ દ્વિતીય પ્રક્ષિત દોષ નિરૂપણ.