________________
૧૬૩
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
બીજા મતે ચતુર્ભગી નીચે પ્રમાણે થાય છે.
2 સચિત્ત ઉપર સચિત્તમશ્ર મૂકેલું. ૨ અચિત્ત ઉપર સચિત્તમિશ્ર મૂકેલુ. ૩ સચિત્તમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું.
૪ અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું. આમાં પણ પૃથ્વીકાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના ૩૬-૩૦ ભાંગા થાય છે. કુલ ૧૪૪ ભાંગા.
પહેલા ત્રણ ભાંગા ઉપર રહેલી વસ્તુ સાધુને કહ્યું નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કહ્યું.
આમાં માટી વગેરે ઉપર સીધાં જ પકવાન્ન, મંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિક્ષિપ્ત કહેવાય.
પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અપૂકાય નિક્ષિપ્ત બને છે.
અગ્નિકાય ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિક્ષિપ્ત હોય છે. વિધ્યાત, ૨ મુર્ખર, ૩ અંગાર, ૪ અપ્રાપ્ત, ૫ પ્રાપ્ત, 9 સમજ્વાલ અને ૭ વ્યુત્ક્રાંત.
૨ વિધ્યાત-સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઇંધણ નાખતા સળગતો દેખાય.
૨ મુમ્બુર-ફક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. ૩ અંગાર-જ્વાળા વિનાના સળગતા કોલસા. ૪ અપ્રાપ્ત-ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જ્વાળા સ્પર્શ કરતી ન હોય. ૫ પ્રાપ્ત-અગ્નિની જ્વાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. 9 સમજ્વાળા-જ્વાળાઓ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. ૭ વ્યુત્ક્રાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસણની ઉપર જતી હોય.
આ સાતમાં અનંતર અને પરંપર એમ બન્ને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડકાદિ હોય તે અનંત ૨ નિક્ષિપ્ત કલ્પ નહિ અને વાસણ વગેરેમાં હોય તે પરંપર અગ્નિકાય નિક્ષિપ્ત કહેવાય. તેમાં અગ્નિનો સ્પર્શ ન થતો હોય તો લેવું કહ્યું.