________________
૧૩૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
સામે જોઈને પોતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે હું તારી નાસિકા ઉપર મૂતર્યો.' એમ કહી ઘી, ગોળ, સેવથી ભરેલું પાત્ર લઈને ઉપાશ્રયે ગયો.
આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કહ્યું નહિ. કેમકે તે સ્ત્રી-પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. ક્રોધમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ-વિરાધના થાય, લોકોની આગળ જેમ-તેમ બોલે તેમાં પ્રવચનવિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ.
ઇતિ અષ્ટમ માનપિંડ દોષ નિરૂપણ.