________________
૧૩૯
૧૦. લોભપિડ દોષ દિમ નિહાફ તો વદુ મરફ સ્ત્રોમેન સાદડ Tી (પિં. વિ. ૭૯) રસની આસક્તિથી “સિંહ કેસરીયા લાડુ, ઘેબર આદિ જ આજે હું ગ્રહણ કરીશ.” આવો વિચાર કરી ગોચરીએ જાય, બીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ પોતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ઘણું ભમે અને ઇચ્છિત વસ્તુ પોતાના જોઈતા પ્રમાણમાં મેળવે તે લોભપિંડ કહેવાય. સાધુને આવી લોભપિંડદોષવાળી ભિક્ષા લેવી કહ્યું નહિ.
દષ્ટાંત ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા.
એક વખત ત્યાં લાડુનો ઉત્સવ હતો એટલે લોકો વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા.
સુવ્રત મુનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યું કે “આજે તો સિંહકેસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.” ચંપાનગરીમાં એક ઘેરથી બીજે ઘેર ફરે છે, પણ સિંહકેસરીઓ લાડુ મળતો નથી. ભમતાં ભમતાં બે પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યો નહિ, એટલે ધ્યાન લાડુમાં હોવાથી મગજ ખસી ગયું. પછી તો ઘરમાં પ્રવેશ કરતાં “ધર્મલાભને બદલે “સિંહકેસરા' બોલવા લાગ્યા. આમને આમ આખો દિવસ પૂરો થયો, પણ સિંહકેસરીઓ લાડુ મળ્યો નહિ. રાત્રી પડી પણ ફરવાનું તો ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતાર્થ અને