________________
૧૩૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
લોકોએ વિચાર્યું કે “આ રીતે નાટક ભજવાયા કરશે અને ક્ષત્રિયો દીક્ષા લીધા કરશે તો પૃથ્વી નિ ક્ષત્રિય બની જશે.” આથી નાટકની પ્રત અગ્નિમાં બાળી નાખી. જેથી તે નાટક ફરી ભજવાય નહિ.
આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માર્ગે માયાપિંડ ગ્રહણ કરવો નહિ.
અપવાદ માર્ગે, બીમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, પ્રાદુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે.
ઇતિ નવમ માયાપિંડ દોષ નિરૂપણ.
૧. આષાઢાભૂતિનું દૃષ્ટાંત જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આવે છે, અહીં “પિંડનિર્યુક્તિ
ગ્રંથને અનુસાર લખેલ છે.