________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
અંકિતાદિ દોષો હોય તે ટાળીને આહાર ગ્રહણ કરવો, આહાર ગ્રહણ કર્યા પછી સંયોજનાદિ દોષો ન લાગે તેમ આહાર વાપરવો એ ઉદ્દેશ છે.
(૫) પ્રમાણ-આહાર કેટલો વાપરવો તેનું પ્રમાણ. (૬) અંગાર-સરસ આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરવાં. (૭) ધુમ્ર-ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી. (૮) કારણ-કયા કારણે આહાર વાપરવો અને કયા કારણે આહાર ન વાપરવો ?
પિંડનિર્યુક્તિના આ આઠ દ્વારો છે. તેનું ક્રમસર વર્ણન કરવામાં આવશે.
શાસ્ત્રકારે “પિંડ' શબ્દના છ નિક્ષેપા સમજાવ્યા છે, તેમાંથી અહીં પ્રસ્તુત પિંડના બે પ્રકારો કહીશું. ૧ દ્રવ્યપિંડ અને ૨ ભાવપિંડ. તેમા દ્રવ્યપિંડના પ્રકારો -
तिविहो उ दव्वपिंडो सचित्तो मीसओ अचित्तो य ।
hસ્સ ય ો નવ નવ મેગા ૩ જયં || ૨ | (પિ. નિ. ૮) દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત તે દરેકના પાછા નવ નવ પ્રકારો છે.
पुढवी आउक्काओ तेऊ वाऊ वणस्सई चेव ।।
વલિ તૈત્રિા વડો વિલા વેવ / રૂ II (પિ. નિ. ૯) સચિત્તના નવ પ્રકારો-8 પૃથ્વીકાય પિંડ, ૨ અપકાય પિંડ, ૩ તેઉકાય પિંડ, ૪ વાયુકાય પિંડ, ૫ વનસ્પતિકાય પિંડ, ૬ બેઇન્દ્રિય પિંડ, ૭ તે ઇન્દ્રિય પિંડ, ૮ ચઉરિન્દ્રિય પિંડ, અને ૯ પંચેન્દ્રિય પિંડ. મિશ્રમાં અને અચિત્તમાં પણ ઉપર મુજબના નવ ભેદો જાણવા. ૨ – પૃથ્વીકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિ પૃથ્વી, હિમવંત આદિ મહાપર્વતોના મધ્ય ભાગ આદિ.
વ્યવહારથી સચિત્ત-જ્યાં ગોમય-છાણ વગેરે પડ્યાં ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ.