________________
શ્રી પિંડનિર્યુક્તિ-૫રાગ
વળી અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તો તે વસ્તુ સાધુને કલ્પે નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહસ્થે પોતાના માટે નીચે ઉતારી હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થે પોતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના સમાચાર જાણી સાધુને વહોરાવવાના નિમિત્તે તે તૈયા૨ થયેલી વસ્તુ ચૂલા ઉપરથી નીચે ઉતારે તો તે વસ્તુ સાધુને કલ્પે નહિ.
૨૮
દ્વાર બીજું
કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય ? साहम्मियस्स पवयणलिंगेहिं कए कयं हवइ कम्मं । પત્તવનુ નિદતિત્થવરટ્ઠાણ પુળ બ્વે ।।૬।। (પિં. વિ. ૧૨) પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુનો સાધર્મિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દોષવાળી છે, એટલે તે વસ્તુ સાધુને કલ્પે નહિ. પરંતુ પ્રત્યેક બુદ્ધ, નિહ્નવ, તીર્થંકર આદિ માટે બનાવેલ વસ્તુ સાધુને કલ્પે.
સાધર્મિકના પ્રકાર જણાવે છે.
नामं ठवणा दविए खेत्ते काले अ पवयणे लिंगे ।
હંસા નાળ ચરિત્તે અમિત્તે ભાવળાને ય ।।૨૭।। (પિં. નિ. ૧૩૮)
o નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ પ્રવચન, ૭ લિંગ, ૮ દર્શન, ૯ જ્ઞાન, ૨૦ ચારિત્ર, ?? અભિગ્રહ, અને ૨૨ ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હોય.
2. નામસાધર્મિક-સાધુનું જે નામ હોય તે નામ બીજાનું હોય તે નામસાધર્મિક ૨. સ્થાપનાસાધર્મિક-સાધુની મૂર્તિ, ચિત્ર કે કાષ્ઠાદિમાં સ્થાપના કરી હોય તે સ્થાપનાસાધર્મિક.
૩. દ્રવ્યસાધર્મિક-સાધુ થવાને યોગ્ય. ભવિષ્યમાં સાધુ થનાર દ્રવ્યસાધર્મિક, અથવા કાળધર્મ પામેલા સાધુનું શરી૨.
૪. ક્ષેત્રસાધર્મિક-એક જ ગામમાં જન્મેલા તે ક્ષેત્રસાધર્મિક.
૫. કાલસાધર્મિક-સરખી ઉંમરના હોય તે કાલસાધર્મિક.