________________
આધાકર્મ દોષ
૩ ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત ૪ ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત
આ ચાર ભાંગામાં બીજા અને ચોથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે છે. પહેલો અને ત્રીજો ભાંગો સાધુ માટે અકથ્ય છે.
साहुनिमित्तं ववियाइ ता कडा जाव तंडुला दुछडा ।
તિછડા ૩ નિક્રિયા પરૂ નહટ્સમવં ને પાપા (પિ. વિ. ૧૧) સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી, ધાન્ય જુદું પાડવું અને ચોખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કૃત કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચોખા છૂટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિત કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું.
ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો પણ સાધુને તે ચોખા-ભાત કહ્યું નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુનો ઉદ્દેશ હોય અને ત્રીજી વાર ગૃહસ્થ પોતાના ઉદ્દેશથી છડ્યા હોય અને પોતાના માટે રાંધ્યા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે છે.
જે ડાંગર ત્રીજી વાર સાધુને નિમિત્તે છડીને ચોખા કરેલા હોય, તે ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો તે તૈયાર થયેલા ભાત એક બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા એમ યાવતું એક હજાર સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત સાધુને કહ્યું નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખો ઘેર જાય તો પણ કહ્યું નહિ.
પાણી માટે-સાધુને ઉદ્દેશીને પાણી માટે કુવો ખોદવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઊતરવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે.
આથી એમ નક્કી થાય છે કે “સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત કર્યા પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકતી નથી, પરંતુ જો સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુનો ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પોતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે.