________________
૭૨
૮. ક્રીત દોષ
कीयगपि य दुविहं दव्वे भावे य दुविहमेक्वेकं ।
આયવિં ચ પરજિય પવન્દ્વ તિવિદ્વં ચિત્તાફ ।।રૂ૭।। (પિં. નિ. ૩૦૬) સાધુ માટે વેચાતું લાવીને આપવું તે ક્રીતદોષ કહેવાય છે.
ક્રીતદોષ બે પ્રકારે છે. ૧ દ્રવ્યથી અને ૨ ભાવથી. દ્રવ્યના અને ભાવના બે બે પ્રકાર. આત્મક્રીત અને પરક્રીત. પરદ્રવ્યક્રીત ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુથી ખરીદેલ.
? આત્મદ્રવ્યક્રીત, ૨ આત્મભાવક્રીત, ૩ પરદ્રવ્યક્રીત, ૪ ૫૨ભાવક્રીત. આ પ્રમાણે ચાર પ્રકાર થાય છે.
૨. આત્મદ્રવ્યક્રીત-સાધુ પોતાની પાસેનું નિર્માલ્યતીર્થાદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની 1-શેષ-ચોખા વગેરે, 2-ગંધ-સુગંધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, ૩-ગુટિકા-તે રૂપપરાવર્તનકારી, જડીબુટ્ટી વગેરે, 4-ચંદન, 5-વસ્ત્રનો કકડો આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારાદિ સારો સારો અને વધારે આપે. તે આત્મદ્રવ્યક્રીત ગણાય. આવો આહાર સાધુને કલ્પે નહિ. કેમકે વસ્તુ આપ્યા પછી કોઈ માંદો પડી જાય તો શાસનનો ઉડ્ડાહ થાય. ‘આ સાધુએ અમને માંદા કર્યા,' કોઈ માંદો હોય અને સારો થઈ જાય તો અનેકને કહેતો ફરે કે ‘અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારું થઈ ગયું.’ તો આથી અધિકરણ થાય.
૨. આત્મભાવક્રીત-આહારાદિ સારો મળે તે માટે વ્યાખ્યાન કરે. વાકૂછટાથી