________________
૧૧૭
૩. નિમિત્તપિંડ દોષ जो पिंडाइ निमित्तं कहइ निमित्तं तिकाल विसयंपि ।
માહ્યામસુસુદ-નીવિગભરVI૬ સો પાવો પાકા (પિ.વિ. ૯૨) જે કોઈ સાધુ આહારાદિ માટે ગૃહસ્થોને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુ:ખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપનો ઉપદેશ છે. તેથી કોઈ વખતે પોતાનો ઘાત થાય, બીજાનો ઘાત થાય કે ઉભયનો ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષા મેળવવી ન જોઈએ.
દષ્ટાંત એક મુખી પોતાની પત્નીને ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહારગામ ગયો હતો. તે દરમ્યાન કોઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારો સારો આહાર બનાવીને સાધુને આપતી હતી.
બહારગામ ગયાને ઘણા દિવસ થયા છતાં પોતાનો પતિ પાછો નહિ આવવાથી શોક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શોક શા માટે કરે છે ? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે.”
સ્ત્રી હર્ષ પામી. પોતાના સંબંધીઓને તેમને લેવા માટે સામા મોકલ્યા. આ બાજુ મુખીએ વિચાર કર્યો હતો કે “છાનોમાનો મારા ઘેર જાઉં અને મારી