________________
૧૨૧
૫. વનીપકપિંડ દોષ
समणे माहणि किवणे अतिही साणे य होइ पंचमए । વળિ ખાવળત્તિ નિઓ પાયખાનું વનેત્તિ ।।૬।। (પિં.નિ. ૪૪૩)
આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે જે જેનો ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પોતે આહારાદિ મેળવે તે વનીપકપિંડ કહેવાય.
શ્રમણના પાંચ ભેદો છે. નિગ્રંથ, બૌદ્ધ, તાપસ, પરિવ્રાજક અને ગોશાળાના મતને અનુસરનારા.
કૃપણથી દરિદ્ર, અંધ, કુંઠા, લંગડા, રોગી, જુંગિત વગેરે સમજવા. શ્વાનથી કૂતરા, કાગડા, ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા. જે જેના ભક્ત હોય તેની આગળ પોતે તેના વખાણ આદિ કરે. જેમકે-કોઈ સાધુ ભિક્ષાએ ગયો હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે. નિગ્રંથને ઉદ્દેશીને શ્રાવકની આગળ બોલે કે ‘હે ઉત્તમ શ્રાવક ! તારા આ ગુરુ તો અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુષ્ઠાન પાળવામાં તત્પર છે, મોક્ષના અભિલાષી છે.'
બૌદ્ધના ભક્તની આગળ ત્યાં બૌદ્ધ ભિક્ષુકો ભોજન કરતા હોય તો તેમની પ્રશંસા કરતા બોલે કે ‘અહો ! આ બૌદ્ધો કેવા શાંત રીતે સ્થિરતાપૂર્વક ભોજન કરે છે, જાણે ચિત્રમાં ચિતરેલા ન હોય ? ભોજન તો આમ કરવું જોઈએ. આ દયાળુ અને દાનશીલવાળા છે. સ્ત્રીમાં અત્યંત આસક્ત એવા બ્રાહ્મણ આદિને આપેલું ભોજન વગેરે પણ નિષ્ફળ જતું નથી, તો પછી આમને આપેલું કેમ નિષ્ફળ જાય ?'