________________
૧૨૫
૭. ક્રોધપિંડ દોષ
विज्जातवप्पभावं निवाइपूयं बलं व से नाउं ।
ધૂળ વ ોહે ં વિંતિ મા જોહવિંડો સો ।।દ્દરૂ।। (પિં. વિ. ૬૭) વિદ્યા-ઓ કારાદિ અક્ષર સમૂહ તથા મંત્ર યોગાદિનો પ્રભાવ, તપ-ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિનો પ્રભાવ, રાજા-રાજા, પ્રધાન આદિ અધિકારીનો માનનીય રાજાદિ વલ્લભ, બલ-સહસ્ર યોદ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઈને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે ‘જો આ સાધુને નહિ આપીએ તો શાપ આપશે, તો ઘરમાં કોઈનું મરણ થશે અથવા વિદ્યા-મંત્રનો પ્રયોગ ક૨શે, રાજાનો વલ્લભ હોવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપણને મારઝુડ ક૨શે વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે ક્રોધપિંડ કહેવાય. ક્રોધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રોધપિંડ દોષ લાગે.
દૃષ્ટાંત
હસ્તકલ્પ નગ૨માં ધર્મકર્મમાં રક્ત એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું.
તેના ઘ૨માં કોઈ માણસ મરી ગયેલું એટલે તે નિમિત્તે બ્રાહ્મણોને આપવા માટે ઘેબર બનાવેલા અને તે બ્રાહ્મણોને આપતો હતો. ત્યાં એક તપસ્વી મુનિ માસખમણને પારણે ભિક્ષાએ ફરતાં ફરતાં આવી પહોંચ્યા અને ભિક્ષાની માંગણી કરી, એટલે આપનારે ના પાડી, આથી મુનિને ગુસ્સો આવ્યો અને બોલ્યો કે ‘સારું આ વખતે ન આપીશ, આવતા મહિને આપજે.' આમ કહીને મુનિ ચાલ્યા ગયા.
દૈવયોગે તે બ્રાહ્મણના ઘરમાં પાંચમા દિવસે કોઈ મૃત્યુ પામ્યા. મહિનો થતાં