________________
૧૦૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
અથવા તો પ્રવાહી હોય તો તે બધો પરઠવી દે. છતાં કોઈ સૂક્ષ્મ અવયવો પાત્રમાં રહી ગયા હોય તો પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવો કલ્પી શકે છે. કેમકે તે આહાર વિશોધિકોટિનો હતો માટે. વિવેક (પરઠવવું) ના ચાર પ્રકારો-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. ૨ દ્રવ્યવિવેક-દોષવાળા દ્રવ્યનો ત્યાગ કરવો તે. ૨ ક્ષેત્રવિવેક-જે ક્ષેત્રમાં તે દ્રવ્યનો ત્યાગ કરવો તે. ૩ કાલવિવેક-ખબર પડે કે તરત વિલંબ કર્યા વિના ત્યાગ કરવો તે.
૪ ભાવવિવેક-ભાવથી મૂર્છા રાખ્યા સિવાય તેનો ત્યાગ કરવો તે અથવા અસઠ સાધુ જેને દોષવાળું જુએ ને તેનો ત્યાગ કરે.
પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિર્વાહ થઈ શકે એમ હોય તો બધો શુદ્ધ અને દોષવાળા આહારનો ત્યાગ કરવો. નિર્વાહ થઈ શકે એમ ન હોય તો દોષવાળા આહારનો ત્યાગ કરવો.
અશુદ્ધ (વિશોધિકોટિ) આહાર ત્યાગ કરવાનો વિધિ અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુર્ભાગી થાય. શુષ્ક અને આદ્ર, સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે. ? શુષ્કમાં શુષ્ક, ૨ શુષ્કમાં આદ્ર, ૩ આદ્રમાં શુષ્ક, ૪ આદ્રમાં આદ્ર,
2. શુષ્કમાં શુષ્ક-શુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા વગેરે સૂકા કહેવાય. હાલમાં ચણા પડ્યાં હોય તો કે ચણામાં વાલ પડ્યાં હોય તો તે સુખપૂર્વક જુદા કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તો જે જેટલા દોષવાળા હોય તેટલા પ્રમાણમાં (ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે.
૨. શુષ્કમાં આર્દ્ર-શુષ્ક વસ્તુમાં આર્ટ વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડ્યું હોય તો, પાત્રમાં પાણી નાખીને પાત્રુ નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે.
૩. આર્ટ્સમાં શુષ્ક-આદ્ર વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ, પયસ, ખીર આદિમાં ચણા, વાલ વગેરે પડ્યું હોય તો પાત્રમાં હાથ નાખીને ચણા વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે.