________________
૧૧૪
૨. દૂતીપિંડ દોષ सग्गामे परग्गामे दुविहा दुई उ होइ नायव्वा ।
સા વા સો વા મા મારૂ તું છત્રવેયને પાલ૮ાા (પિ. નિ. ૪૨૮) દૂતીપણું બે પ્રકારે થાય છે-૧ જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને ર બીજા ગામમાં. ગૃહસ્થનો સંદેશો સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય.
સંદેશો બે પ્રકારે જાણવો -૧ પ્રગટ રીતે જણાવે અને ર ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર.
લૌકિક પ્રગટ દૂતીપણું-બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશો જણાવે.
લૌકિક ગુપ્ત દૂતીપણું-બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે.
લોકોત્તર પ્રગટ દૂતીપણું-સંઘાક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું-સંઘાક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે.
લોકોત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય?-કોઈ સ્ત્રીએ પોતાની માતાને કહેવા સંદેશો સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જો પ્રગટ રીતે સંદેશો કહીશ તો સંઘાટ્ટક સાધુને એમ થશે કે “આ સાધુ તો દૂતીપણું કરે છે. માટે એવી રીતે કહું કે “આ સાધુને ખબર ન પડે કે “આ દૂતીપણું કરે છે.” આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે “તમારી પુત્રી જૈનશાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે “મારી માતાને આટલું કહેજો. આમ કહીને જે કહ્યું હોય તે બધું