________________
અધ્યવપૂરક દોષ
૧૦૫
૪. આર્ટ્સમાં આર્ટૂ-આદ્ર વસ્તુમાં આર્ટ વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તો, જો તે દ્રવ્ય દુર્લભ હોય અર્થાત્ બીજું મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તો જેટલા પ્રમાણને દોષવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે.
નિર્વાહ થઈ શકે એમ ન હોય તો આ ચાર ભાંગાનો ઉપયોગ કરી શકાય. જો નિર્વાહ થઈ શકે એમ હોય કે બીજો શુદ્ધ આહાર મળી શકે એમ હોય તો પાત્રમાં આવેલું બધું પરઠવી દેવું જોઈએ.
संथरे सव्वमुझंति चउभंगो असंथरे ।
અસરો સુ ને માયાવી મેતુ વર્ષ | પરા (પિં. નિ. ૪૦૦) નિર્વાહ થાય એમ હોય તો પાત્રમાં વિશોધિકોટિથી સ્પર્શ થયેલા બધા આહારનો ત્યાગ કરવો, નિર્વાહ ન થાય તેમ હોય તો ચાર ભાગમાં બતાવ્યા પ્રમાણે ત્યાગ કરવો કપટરહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અર્થાત્ તેને અશુભકર્મનો બંધ થતો નથી, પરંતુ જે માયાવી હોય એટલે માયાપૂર્વક ત્યાગ કર્યો હોય તો તે સાધુ કર્મબંધથી બંધાય છે. જે ક્રિયામાં માયાવી બંધાય છે તેમાં માયારહિત કરનારો શુદ્ધ રહે છે.
હવે બીજી રીતે વિશોધિકોટિ અવિશોધિકોટિ સમજાવે છે. કોટિકરણ બે પ્રકારે. ઉદ્ગમકોટિ અને વિશોધિકોટિ. ઉદ્ગમકોટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે. વિશોધિકોટિ અનેક પ્રકારે ૯-૧૦-૨૭-૫૪-૯૦ અને ૨૭૦ ભેદો થાય છે. ૯ પ્રકાર- ૩. હણવું, હણાવવું અને અનુમોદવું.
૩. રાંધવું, રંધાવવું અને અનુમોદવું. ૩. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું.
પહેલા છ ભાંગા અવિશોધિકોટિના અને છેલ્લા ત્રણ વિશોધિકોટિના જાણવા. ૧૮ પ્રકાર-નવકોટિને કોઈ રાગથી કે કોઈ દ્વેષથી સેવે. ૯દરV૧૮.
૨૭ પ્રકાર-(નવ કોટિને) સેવનાર કોઈ મિથ્યાષ્ટિ નિઃશંકપણે સેવે, કોઈ સમ્યગુદૃષ્ટિ વિરતિવાળો આત્મા અનાભોગથી અજ્ઞાનથી સેવે, કોઈ સમ્યગુદૃષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સેવે. મિથ્યાત્વ, અજ્ઞાન અને