________________
૧૦. પરાવર્તિત દોષ परियट्टियं पि दुविहं लोइय लोगुत्तरं समासेणं
પhપ સુવિદં તત્રે અત્રે ય ારૂ (પિં. નિ. ૩૨૩) સાધુને માટે વસ્તુનો અદલાબદલો કરીને આપવું તે પરાવર્તિત. પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર.
લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લોકોત્તરમાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લોકિકતદ્રવ્ય એટલે ખરાબ ઘી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગંધીવાળું સારું ઘી આદિ લાવીને સાધુને આપવું.
લૌકિક અન્યદ્રવ્ય એટલે કોદ્રવ આદિ આપીને સાધુનિમિત્તે સારા ચોખા આદિ લાવીને સાધુને આપવા. આ વિષયમાં દૃષ્ટાંત કહે છે.
. દષ્ટાંત વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાર્યા હતી. ક્ષેમકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી.
તે જ નગરમાં બીજા તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્ની, ધનદત્ત નામનો પુત્ર અને બંધુમતી નામની પુત્રી હતી.