________________
૮૨
૧૧. અભ્યાહત દોષ
गिहिणा सपरग्गाभाइ आणिअं अभिहडं जइट्ठा ।
તં વહુવોસ નેવં પાવડછન્નાવદુમેવ ।। ૪૦ ।। (પિં. વિ. ૪૬) સાધુને વહોરાવવા માટે સામે લાવેલો આહાર આદિ તે અભ્યાહતદોષવાળો કહેવાય.
સાધુ રહેલા હોય તે ગામમાંથી કેબીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણા દોષો રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હોય.
મુખ્ય બે ભેદ. ૧. અનાચીર્ણ અને ૨. આચીર્ણ.
અનાચીર્ણ એટલે સાધુને લેવો ન કલ્પે તે રીતે સામે લાવેલો.
આચીર્ણ એટલે સાધુને કલ્પે તે રીતે સામે લાવેલો.
અનાચીર્ણના આઠ પ્રકારો
૨. સાધુને ખબર ન પડે તે રીતે લાવેલો.
૨. સાધુને ખબર પડે તે રીતે લાવેલો.
૩. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલો. ૪. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયના બીજા ગામથી લાવેલો.
૫. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલો.