________________
८८
૧૨. ઉભિન્ન દોષ
पिहिउब्भिन्नकवाडे फासुय आप्कासुए य बोद्धव्वे ।
ઞાસુ પુદ્ધવિમા પાસુય છેાળાધર ।।૪૨।। (પિં. નિ. ૩૪૭) સાધુને માટે કબાટ આદિ ઉઘાડીને કે તોડીને આપે તે ઉભિન્નદોષ. ઉભિન્ન-એટલે સીલ વગેરે તોડીને કે બંધ હોય તે ઉઘાડીને ખોલવું. તે બે પ્રકારે. ? બરણી આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી.
૨ કબાટ વગેરે ઉઘાડીને આપવું.
ઢાંકણ બે પ્રકારના-૧ સચિત્ત-માટી આદિથી પૅક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. ૨ અચિત્ત-સૂકું છાણ, કપડાં વગેરેથી બાંધેલ.
ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં રહેલા દોષો
ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં છકાય જીવોની વિરાધના રહેલી છે.
બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા ટાઈમ સુધી પણ સચિત્ત રહે, વળી જીવો ત્યાં આવીને રહ્યા હોય.
સાધુ માટે આ વસ્તુ ખોલીને તેમાં રહેલું ઘી, તેલ આદિ સાધુને આપે તો. ? પૃથ્વીકાય, અપ્કાય આદિનો નાશ થાય.
૨ તેની નિશ્રાએ ત્રસ જીવો રહેલા હોય તો તેની પણ વિરાધના થાય.