________________
૭૫
૯. પ્રાનિત્ય દોષ पामिपि य दुविहं लोइय लोगुत्तरं समासेण ।
સ્ટોર સબ્સિ II રોપુર વલ્યમારું રૂટા (પિં. નિ. ૩૧૬) પ્રામિત્વ એટલે સાધુ માટે ઉધાર લાવીને આપવું. ઉધાર લાવવાનું બે પ્રકારે. ૧ લૌકિક અને ૨ લોકોત્તર.
લૌકિકમાં બહેન આદિનું દૃષ્ટાંત અને લોકોત્તરમાં સાધુ-સાધુઓમાં વસ્ત્ર વગેરેનું
લૌકિક દષ્ટાંત કોશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામનો કુટુંબી રહેતો હતો. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમ્મત આદિ ઘણા પુત્રો અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધા જૈનધર્મી હતા.
તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની ભાર્યા હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર કરતા હતા.
એક વાર તે ગામમાં શ્રી સમુદ્રઘોષ નામના આચાર્ય શિષ્યો સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી.
સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પોતાના કુટુંબનું કોઈ દીક્ષા લે તો સારું, એ જ ખરો ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઈને પૂછયું કે “દેવશર્મા કુટુંબનું કોઈ છે ખરું ?'