________________
૭૩
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
તે માણસે કહ્યું કે તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.”
સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ-મુનિને આવેલા જોઈ બહેનને ખૂબ આનંદ થયો અને ઊતરવાનું સ્થાન આપ્યું. પછી સાધુ નિમિત્તે રસોઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અમોને કહ્યું નહિ.'
સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબૂલાત કરી બે પળી તેલ લાવી સાધુને વહોરાવ્યું. ભાઈ-મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું.
સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરેના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વોળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયોગના દુ:ખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ શક્યું નહિ. એટલે ચાર પળી જેટલું તેલ ચઢ્યું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાનો નિર્વાહ પણ મજૂરી કરવા ઉપર હતો. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું. શિવદેવ શેઠે કહ્યું કે “કાં તો મારું ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.”
સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધું કામ કરે છે અને દુ:ખે દિવસો પસાર કરે છે.
સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જોવામાં આવી, એટલે મુનિએ પૂછ્યું. બહેને રોતા રોતા બધો વૃત્તાંત કહ્યો.
આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાનો વખત આવ્યો.
મુનિએ બહેનને કહ્યું કે “તું રડીશ નહિ, થોડા દિવસમાં તને દાસીપણામાંથી છોડાવીશ.” તેને છોડાવવાના ઉપાયનો વિચાર કરી, શિવદેવ શેઠને ત્યાં જ પહેલા ભિક્ષાએ ગયા, ત્યાં શેઠની પત્ની શિવા ભિક્ષા આપવા માટે હાથ ધોવા લાગી એટલે સાધુએ નિષેધ કર્યો કે “હાથ ધોઈને ભિક્ષા આપો તે અમોને કહ્યું નહિ.” શેઠ ત્યાં બેઠા હતા. તેમણે પૂછ્યું કે “આમ દોષ શો ?' સાધુએ કહ્યું કે “અપૂકાય આદિ જીવની વિરાધનાનો દોષ લાગે.”