________________
૫. સ્થાપના દોષ सट्ठाणपरट्ठाणे परंपराणंतरं चिरित्तरियं ।
વિદ નિવિદા વિવVISHVrફ નં વરસાદુઈ ચારૂરૂાા (પિ.વિ. ૩૮) ગૃહસ્થ પોતાના માટે આહાર બનાવ્યો હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપનાદોષવાળો આહાર કહેવાય.
સ્થાપનાના છ પ્રકાર-સ્વસ્થાન સ્થાપના, ૨ પરસ્થાની સ્થાપના, ૩ પરંપર સ્થાપના, ૪ અનંતર સ્થાપના, ૫ ચિરકાલ સ્થાપના અને ૬ ઇત્તરકાલ સ્થાપના.
૨ સ્વસ્થાની સ્થાપના-આહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો કે હોલા ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવો.
૨ પરસ્થાની સ્થાપના-જ્યાં આહાર પકાવ્યો હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીકું આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકવો.
સ્થાપના રાખવાના દ્રવ્યો બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી.
જે દ્રવ્યોનો ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ, શેરડી વગેરે તથા ભાત અને દહીં વગેરે, દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. શેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે.
જે દ્રવ્યોમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે.
૩ પરંપર સ્થાપના-વિકારી દ્રવ્યો, દૂધ, દહીં, છાશ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે.