________________
૬૪
૪. મિશ્ર દોષ मीसजायं जावंतियं च पासंडिसाहुमीसं च ।
સરસંત્તરે ન પર પૂરું કણે તિલુને રૂરા (પિ. નિ. ૨૭૧) - મિશ્રદોષ ત્રણ પ્રકારે ૧. કોઈપણ ભિક્ષાચર માટે, ૨. પાખંડી માટે અને ૩. સાધુ માટે.
પોતાના માટે અને યાવત્ સાધુ વગેરે માટે પહેલેથી ભેગું રાંધ્યું હોય તો તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળો આહાર એક હજાર ઘરે ફરતો ફરતો જાય તો પણ તે શુદ્ધ થતો નથી.
મિશ્રદોષવાળો આહાર પાત્રમાં આવી ગયો હોય તો તે આહાર અંગુલિ કે રાખ વડે દૂર કર્યા પછી તે પાત્ર ત્રણવાર ધોયા પછી તડકે સૂકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું. કોઈ આચાર્ય કહે છે કે માત્ર ચારવાર ધોયા પછી આહાર લાવવા કહ્યું.
કોઈપણ એટલે તમામ ભિક્ષુકો માટે કરેલું જાણવાનો ઉપાય-બકોઈ સ્ત્રી કોઈ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરનો માલિક કે બીજા કોઈ તેને નિષેધ કરે કે આમાંથી આપશો નહિ. કેમકે આ રસોઈ બધા માટે કરી નથી, માટે આ બીજી રસોઈ જે બધાને આપવા માટે બનાવી છે, તેમાંથી આપો.'
રસોઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પૂરું નહિ થાય, વધારે રાંધો જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તો જાણી શકાય કે આ રસોઈ યાવદર્થિક-તમામ ભિક્ષુકો માટેની મિશ્ર દોષવાળી છે. આવો આહાર સાધુને લેવો કલ્પ નહિ.